Parul Sevashram Hospital

Emergency Contact -

9016668241/ 9016668136/ 18008899774/

તમારા હૃદયની વાતને સાંભળવી: સ્વસ્થ જીવન માટે સમજદારીપૂર્વકની પસંદગીઓ કરવી

એકંદરે-બીઇંગમાં-હૃદયની-ભૂમિકા

તમારા બધા માટે દિલ હોવાનો દાવો કરનાર હ્રદય

આપણું હૃદય, તે નોંધપાત્ર અંગ છે જે આપણી છાતીના ભાગમાં રહેલું છે, તે માત્ર પ્રેમ અને આરાધનાને જ દર્શાવતું નથી; તે જીવનરેખા છે જે આપણા જીવનને ટકાવી રાખે છે. તેના અવિરત ધબકારા આપણા શરીરના દરેક કોષને ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડે છે, જે આપણને જીવવા, શ્વાસ લેવા અને જીવનની અવનવી મૂંઝવણોનો સામનો કરવાની ક્ષમતા આપે છે. તેની ભૂમિકા સર્વોચ્ચ હોવા છતાં, આપણે ઘણીવાર આપણા હૃદયના સ્વાસ્થ્યને અવગણીએ છીએ અને એવા આહારની એવી પસંદગીઓ કરીએ છીએ જે આપણા શરીરની ઉર્જા અને ઉત્સાહને ઘટાડે અને જીવનને ટૂંકાવે.

આપણા આરોગ્ય અને સુખાકારીમાં હૃદયની ભૂમિકા

આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેના વિશે વાત કરતા પહેલા, ચાલો આપણું હૃદય જે અદ્ભુત કાર્ય પૂર્ણ કરે છે તેની પ્રશંસા કરવા માટે થોડો સમય લઈએ. લગભગ એક બંધ કરેલી મૂઠ્ઠીના આકાર જેવું લાગતું, હૃદય ધમનીઓ અને નસોની શૃંખલાનો ઉપયોગ કરીને લોહીને આખા શરીરમાં પહોંચાડે છે, આપણા શરીરના અવયવો અને પેશીઓને મહત્વપૂર્ણ પોષક તત્ત્વો અને ઓક્સિજન પૂરો પાડે છે. તે એક અવિરત કાર્યકર છે, જે દિવસમાં લગભગ 100,000 વખત ધબકે છે અને 2,000 ગેલન લોહીને શરીરમાં વિવિધ અંગો સુધી પહોચાડે છે. આ એક મહત્ત્વપૂર્ણ અંગ એ આપણી રક્તવાહિનીના તંત્રનો આધારસ્તંભ છે, અને તેનું આરોગ્ય આપણી હાલની સુખાકારીને ગંભીર રીતે અસર કરે છે. એક સ્વસ્થ હૃદય સુનિશ્ચિત કરે છે કે આપણા બધા અંગો શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે, હૃદય રોગ, સ્ટ્રોક અને હાયપરટેન્શન સહિત અનેક ગણી સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને ઘટાડે છે. તેથી, તમારા હૃદયની વાત સાંભળવી એ માત્ર એક યુટોપિયન કલ્પના નથી; પરંતુ તે વધુ લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન જીવવા માટેનો એક નિર્ણાયક ઘટક છે.

હૃદયના સ્વાથ્ય પર આહારની અસર

આહાર આપણા હૃદયના સ્વાસ્થ્યમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે. આપણા રોજિંદા આહારના વિકલ્પો આપણી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર ગહન પરિણામ લાવી શકે છે, આ આહાર ક્યાં તો હૃદયના સ્વાસ્થ્યને બહેતર બનાવે છે અથવા તેના સ્વાસ્થ્યને નુકશાન કરે છે. આહાર અને હૃદય વચ્ચેના જોડાણને અહીં નજીકથી જુઓ:
  1. વધુ પડતો ખાંડનો વપરાશ:

હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા મુખ્ય આહાર પરિબળોમાંનું એક અતિશય ખાંડનું સેવન છે. જ્યારે આપણે વધુ પડતી ખાંડનું સેવન કરીએ છીએ, ત્યારે તેના પરિણામે ઘણું વજન વધી શકે છે, જે બદલામાં સ્થૂળતાનું કારણ બને છે, જે હૃદય રોગ માટે જોખમી પરિબળ છે. ઉપરાંત, વધારે માત્રામાં ખાંડનું સેવન ઇન્સ્યુલિન સંબંધી વિકાર અને ડાયાબિટીસ સાથે સંબંધિત છે, એવી સ્થિતિ જે નોંધપાત્ર રીતે હૃદયની સમસ્યાઓનું જોખમ વધારે છે.
  1. બિનઆરોગ્યપ્રદ આહારની આદતો:

બિનઆરોગ્યપ્રદ આહાર, જેમ કે પ્રોસેસ્ડ ફૂડ, સંતૃપ્ત ચરબી અને વધુ માત્રામાં સોડિયમયુક્ત ભોજનનો વારંવાર ઉપયોગ, હૃદય રોગની સંભાવનાઓ વધારવામાં નોંધપાત્ર ફાળો આપી શકે છે. આ આહાર LDL કોલેસ્ટ્રોલ (“ખરાબ” કોલેસ્ટ્રોલ)નું સ્તર વધારી શકે છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે, જે બંને હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી નીવડી શકે છે.
  1. હૃદય માટે સ્વસ્થ આહારની ભૂમિકા:

બીજી બાજુ, હૃદય માટે સ્વસ્થ આહાર અપનાવવાથી નોંધપાત્ર પ્રમાણમાં હૃદય રોગના જોખમને ઘટાડી શકાય છે. આવા આહારમાં સામાન્ય રીતે શામેલ છે:
  • ફળો અને શાકભાજી: આમાં અમુક પ્રકારના વિટામિન, ખનિજો, એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર હોય છે, જે હૃદયના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે જરૂરી ઘટકો છે.
  • આખા અનાજ: આખા ઘઉંની બ્રેડ, બ્રાઉન રાઇસ અને ઓટ આવશ્યક પોષક તત્વો અને ફાઇબર પૂરા પાડે છે.
  • લીન પ્રોટીન: લાલ માંસનો વપરાશ ઘટાડીને પ્રોટીનના લીન સોર્સ પસંદ કરો, જેમ કે મરઘાં, માછલી, કઠોળ અને દાળ.
  • આરોગ્યપ્રદ ચરબી: સંતૃપ્ત અને ટ્રાન્સ ફેટ(ચરબી) આધારિત આહારને બદલે અસંતૃપ્ત ચરબીના સ્ત્રોતો પસંદ કરો જેમ કે એવોકાડો, બદામ અને ઓલિવ ઓઇલ.
  • ખાંડયુક્ત આહારને મર્યાદિત કરવો: ખાંડયુક્ત પીણાં, કેન્ડી અને પ્રોસેસ્ડ નાસ્તાનું સેવન ઓછું કરવાથી હૃદયના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર થઈ શકે છે.

શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ હૃદય

અવારનવાર શારીરિક પ્રવૃત્તિ કરવી એ હૃદયના સ્વાસ્થ્યનું બીજું મહત્વપૂર્ણ પાસું છે. કસરત કરવાથી હૃદયના સ્નાયુની શક્તિ અને કાર્યક્ષમતાને જાળવી રાખવામાં મદદ મળે છે અને બીજા અસંખ્ય ફાયદાઓ પણ છે. સ્વસ્થ હૃદય માટે શારીરિક પ્રવૃત્તિ શા માટે મહત્ત્વની છે તે અહીં આપેલું છે:
  1. લોહીના પરિભ્રમણને બહેતર બનાવે છે: કસરત કરવાથી હૃદય સહિત સમગ્ર શરીરમાં રક્ત પ્રવાહમાં વધારો થાય છે. સારી રીતે લોહીનું પરિભ્રમણ ઓક્સિજન અને પોષક તત્વોને વધુ અસરકારક રીતે શરીરના અન્ય ભાગો સુધી પહોચાડવામાં મદદ કરે છે.
  2. વજન નિયંત્રણ: શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે, જેનાથી તંદુરસ્ત વજનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અને તેને જાળવી રાખવામાં સરળતા રહે છે. વધુ પડતું વજન એ એક મહત્ત્વનું જોખમી પરિબળ છે જે ગંભીર હૃદય રોગનું કારણ બની શકે છે.
  3. બ્લડ પ્રેશરમાં ઘટાડો: નિયમિત કસરત કરવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકે છે, હૃદય પરનો તણાવ ઓછો થઈ શકે છે અને હાયપરટેન્શન સંબંધિત હૃદયની સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે.
  4. બહેતર કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ: કસરત LDL કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને HDL કોલેસ્ટ્રોલ (“સારા” કોલેસ્ટ્રોલ)ના સ્તરમાં વધારો કરે છે. આ સંતુલન હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
  5. તણાવ ઘટાડવો: શારીરિક પ્રવૃત્તિ એ કુદરતી તણાવને દૂર કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે તેવા નોંધપાત્ર પરિબળોમાંના એકને ઘટાડવામાં મદદ કરે છે.

શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવા માટેની ટિપ્સ:

તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરવો ભયજનક નથી. શારીરિક પ્રવૃત્તિને તમારા જીવનનો નિયમિત ભાગ બનાવવા માટે અહીં કેટલીક ટીપ્સ અને જાણકારી છે:
  • હળવી કસરતોથી શરૂ કરો: જો તમે કસરત કરવા માટે નવા છો, તો ઝડપી ચાલવા જેવી મધ્યમ-તીવ્રતાની પ્રવૃત્તિઓથી શરૂઆત કરો. ધીમે ધીમે સમય સાથે સમયગાળો અને તીવ્રતા વધારો.
  • તમને આનંદ મળે તેવી પ્રવૃત્તિઓ શોધો: તમે ખરેખર આંનદ આવતો હોય તે પ્રવૃત્તિઓ પસંદ કરો, પછી ભલે તે નૃત્ય હોય, તરવું હોય, સાયકલ ચલાવવી અથવા રમતગમત હોય. આ તમને તેની સાથે સલંગ્ન થવાની સંભાવનાઓને વધારે છે.
  • કસરતને નિયમિત સમયે કરો: તમારા કૅલેન્ડર પર શારીરિક પ્રવૃત્તિને એપોઇન્ટમેન્ટ તરીકે ગણો. નિયમિતતા એ મુખ્ય ચાવી છે.
  • અલગ- અલગ કસરત કરો: કંટાળાને અટકાવવા અને વિવિધ સ્નાયુઓનો ઉપયોગ કરવા માટે તમારા કસરતના રૂટિનમાં ફેરફાર કરો. આ વધુ પડતા ઉપયોગના કારણે થતી ઇજાઓનું જોખમ પણ ઘટાડે છે.
  • વાસ્તવિક ધ્યેયો સુનિશ્ચિત કરો: તમારા માટે પ્રાપ્ત કરી શકાય તેવા આરોગ્ય લક્ષી ધ્યેયો સુનિશ્ચિત કરો, જેમ કે દરરોજ ચોક્કસ સંખ્યામાં ડગલા ચાલવા અથવા સાપ્તાહિક કસરતના વર્ગો પૂર્ણ કરવા.

તણાવ નિયંત્રણ અને હૃદયનું સ્વાસ્થ્ય

લાંબા સમયથી તણાવ, કોર્ટિસોલ અને એડ્રેનાલિનના મુક્ત થવા સાથે, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધારી શકે છે, જે સમય જતાં કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ તણાવની-હૃદય પર અસર હૃદય રોગના જોખમને વધારે છે અને વધુ માત્રામાં આહાર અને ધૂમ્રપાન જેવા બિનઆરોગ્યપ્રદ આહારની કુટેવોનો સામનો કરવાના વર્તનને પ્રોત્સાહિત કરે છે.
  • તણાવની અસરને ઓળખો: દીર્ઘકાલીન તણાવ હૃદયરોગના જોખમને વધારે છે, જે તેને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનાવે છે.
  • અસરકારક રીતે તણાવ નિયંત્રણ: વ્યૂહરચનાઓમાં સચેતન રહેવું, નિયમિત કસરત, સામાજિક જોડાણો, સમય વ્યવસ્થાપન અને જરૂર પડ્યે વ્યાવસાયિક મદદ મેળવવાનો સમાવેશ થાય છે. આ પદ્ધતિઓ તણાવ ઘટાડી શકે છે, તંદુરસ્ત હૃદયને પ્રોત્સાહન આપે છે.
ચાલો ધ્યાનમાં રાખીએ કે આજે આપણે જે સ્વાસ્થ્ય સંબંધી પસંદગીઓ કરીએ છીએ તે આપણા ભાવિ હૃદયને આકાર આપે છે. તેની જરૂરિયાતોને સમજીને, તેને સમજદારીપૂર્વક ટકાવી રાખવાથી, અને સ્વસ્થ હૃદય સાથેની જીવનશૈલીને અપનાવવાથી, આપણે માત્ર વધુ પૌષ્ટિક ભવિષ્ય તરફ જ નહીં પરંતુ સ્થિતિસ્થાપકતા અને ગતિશીલતા સાથે સતત ધબકવાની આપણા હૃદયની ક્ષમતાને પણ સુરક્ષિત કરીએ છીએ. હૃદયના સ્વાસ્થ્યને લગતી કોઈપણ ચિંતાના કિસ્સામાં, વ્યક્તિ શ્રેષ્ઠ સારવાર માટે ભારતીય શહેરોની હોસ્પિટલ સહિત વડોદરાની શ્રેષ્ઠ હૃદય હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે!
Written by Parul Sevashram Hospital  | 28 September 2023

Select Language

POPULAR POSTS